રંગસૂત્રીય અનિયમિતતાઓ એટલે શું ? તેનું કારણ સમજાવો.
રંગસૂત્રીય સંખ્યામાં દ્વિકીય સંખ્યામાં જોવા મળતી વધઘટને પ્લોઇડી (ploidy) કહે છે.
એક અથવા વધુ રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થાય છે.
કોષવિભાજન સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થઈ જાય છે તેને એન્યુપ્લોઇડી (Aneuploidy) કહે છે.
ઉદાહરણ તરીકે $21$માં રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રના કારણે ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે.
તે જ રીતે એક રંગસૂત્ર ગુમાવવાના કારણે ટર્નસ સિન્ડ્રોમ થાય છે.
કોષવિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન (cytokinesis) ન થવાથી સજીવોમાં રંગસૂત્રનું એક આખું જૂથ વધી જાય છે તેને પોલિપ્લોઇડી (polyploidy) કહે છે. આ અવસ્થા મુખ્યત્વે વનસ્પતિઓમાં જોવા મળે છે.
ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં વિદ્યાર્થીએ ટેલોફેઝ અવસ્થામાં આવેલ કોષ જોયો. તેણે તેના શિક્ષકને ટેલોફેઝ અવસ્થામાં જોવા મળતાં અન્ય કોષો કરતાં અલગ પ્રકારનું જોવા મળે છે તેવું જણાવ્યું. તેમાં કોષરસપટલની ઉત્પત્તિ જોવા મળી નહીં. આથી કોષમાં, બીજા વિભાજન પામતાં કોષો કરતાં વધારે સંખ્યામાં રંગસૂત્રો જોવાં મળ્યાં. આ વસ્તુ ….... માં પરિણમે.
કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા મનુષ્યમાં...
માણસમાં માનસિક મંદતા એ લિંગસંકલિત અનિયમિતતા સાથે સંકળાયેલ છે. તે સામાન્ય રીતે ............ ના કારણે છે.
ડાઉન્સ સિન્ડ્રોમ શેને કારણે થાય છે?
માનવ કેર્યોટાઈપમાં $45$ રંગસુત્રની ગોઠવણી પ્રાપ્ત થાય અને જો બંધારણ $XO$ પ્રમાણે હોય તો કઈ ખામી હોઈ શકે?